હિન્દ ન્યુઝ, પોરબંદર
૧૧-પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૯ અને ૨૦ એપ્રિલના રોજ રાજકોટ અને પોરબંદરના પ્રવાસ અર્થે આવનાર છે.આ પ્રવાસ દરમિયાન તેઓતા. ૧૯ એપ્રિલ ૨૦૨૫, શનિવારના રોજ સવારે૧૦-૦૦ વાગ્યે મોટી મારડ, ધોરાજી ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ ખાતે હાજરી આપશે. ત્યારબાદ તેઓ બપોરે ૦૩-૦૦ વાગ્યે મજીવાણા ખાતે પીજીવીસીએલ સબડીવીઝન ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ૦૪-૦૦ વાગ્યે ફટાણા, પોરબંદર ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.
તા. ૨૦ એપ્રિલ ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૭ વાગ્યે ભાયાવાદર ખાતે ‘સંડે ઓન સાયકલ’ ખાતે સ્થાનિકો સાથે સાયકલીંગ કરશે. ત્યારબાદ ૦૯-૩૦ ખાતે ઉપલેટા એસટી બસ સ્ટેન્ડ ખાતે ઉપલેટા અને ધોરાજી ખાતે નિર્માણ પામનારા નવા એસટી ડેપોનું તથા ઉપલેટા રેવેન્યુ ભવનનું ખાતમુહુર્ત કરશે. ઉપલેટાપાટણવાવ રોડ રાજકોટ અને જૂનાગઢ જીલ્લા ને જોડતો અગત્યનો રસ્તો હોય આ રસ્તા પર રાજાશાહી વખતના ૫ જૂના બ્રિજ આવેલ છે. જે હાલ જર્જરિત હોય સરકાર દ્વારા ૫ નવા મેજર બ્રિજ ૩૩.૧૧ કરોડ ના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે. આ રોડ તથા મેજર બ્રીજનું માનનીય મંત્રી દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવશે.