આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

હિન્દ ન્યુઝ, આણંદ 

શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે ખાસ રજા આપવાની રહેશે

      રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી, ઓડ ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક – વોર્ડ નં.૦૪ અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક – ૨૪-ઉદેલ-૨, પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬-૦૨-૨૦૨૫ ના રવિવારના સવારના ૦૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી યોજાશે.

જે-તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંઘાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ/કામદારોને મતદાન માટે વારાફરતી (૦૩) ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને તેમની અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, તેમ આણંદ જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત, ડી. એન. સોનવણેની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment