ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર(વાયુ)ની તરીકે જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ તા. ૨૭ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવી

હિન્દ ન્યૂઝ, ભાવનગર

ભારતીય ભારતીય વાયુસેના દ્વારા માત્ર અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. વિજ્ઞાન વિષયક પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેંટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ૫૦% જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે. વિજ્ઞાન વિષય સિવાયની પરીક્ષા: માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે. ઉમેદવારની જન્મતારીખ તા. ૦૧/૦૧/૨૦૦૫ થી તા.૦૧/૦૭/૨૦૦૮ વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જરૂરી. પરીક્ષા ફી રૂ. ૫૫૦/- છે. ઓનલાઈન પરીક્ષા તા.૨૨/૦૩/૨૦૨૫ થી શરૂ થશે. અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે તા. ૨૭/૦૧/૨૦૨૫ સુધીમાં ઓફીશ્યલ વેબસાઈટ: https://agnipathvayu.cdac.in ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment