ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબા ને દુર કરાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ 

    કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૦ પૈકી ૧ કે જે જમીન જંગલ ખાતાને ભાદર -૨માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં ૧૫૦ ચો.મી.ના ૪ ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂ.૧૦,૦૦,૦૦૦/- જણાઈ છે.

પ્રાંત અધિકારી ધોરાજી, મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત સાથે ૧૫૦ ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારીશ્રી ધોરાજીએ જણાવ્યું હતું.

Related posts

Leave a Comment