રાજકોટ,
રાજકોટ શહેર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી આ નિર્ણય અમલી થશે. તેવી જાહેરાત કરી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દંડ પહેલા ૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ન પહેરી લોકો વારંવાર તેનો ભંગ કરતા હોવાથી સરકારે દંડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ૧ ઓગસ્ટથી તમે માસ્ક પહેર્યા વગર નીકળશો અથવા તો જાહેરમાં થૂંકશો તો તમારે ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ