હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
બાદલપરા ગામમા ગાયના ચારાના ગોડાઉનમા આગ લાગી હતી. ફાયર વિભાગ જાણ થતા ત્વરિત સ્થળ પર પહોચીની આગને બુઝાવવામાં આવી હતી.
બાદલપરા રામભાઈ ધાનાભાઈ બારડના ગાયના ચારાના ગોડાઉનમા આગ લાગી હતી જેની જાણ ફાયર ટીમને થતા ફાયરના ડીસીપીઓ નરેન્દ્રસિંહ તેમજ ફાયરમેન વિક્રમભાઈ ખટાણા અને રામભાઇ વંશની ટીમ અને ફાયર વિભાગના અધતન સાધનો સાથે ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ને સંપૂર્ણ રીતે બુઝાવવામાં આવી હતી.