લાઠી,
હાલ મા સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે તેને ધ્યાને રાખીને આ મહામારી અટકાવવાના ભાગરૂપે લાઠી તાલુકાના નારાયણ નગર ગામે સ્વચ્છતા જળવાઈ રહે તેથી નારાયણ નગર ગામ ના યુવા સરપંચ નિલેશ ભાઈ પી ડેર તથા કર્મનિષ્ઠ તલાટી કમ મંત્રી રવિરાજ સિંહ ખેર દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી તથા ટાશ પાથરવામાં આવી ગોદડિયા નગર તેમજ અલગ અલગ વિસ્તાર માં જ્યાં રોડ પાસ નથી થયેલ એવા વિસ્તાર માં કીચડ થાય છે એવા વિસ્તાર માં ટાશ પાથરવા નું કામ ચાલે છે. પંચાયત સભ્ય હાજીભાઇ તાજાણી તેમજ રહીમભાઈ સંધિ ની નિગરાની માં કામ કાજ ટાશ જગ્યાએ પાથરવાનું કામ માર્ગદર્શન મુજબ સારી રીતે ચાલે છે તેમજ ગ્રામજનો માં ખુશી જોવા મળી રહી છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા