રાજકોટ શહેર અનલોક-૨ નિયમોનો ઉલાળીયો કરી ટોળા એકઠા કરતી ૧૪ જેટલી ચા-પાનની દુકાનો અને કેબીનો ઉપર મનપાની ટીમે દરોડો પાડી સીલ કરી દીધી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ અનલોક-૨ ના નિયમોનો ઉલાળીયો કરતા હોવાનું મનપા તંત્રની સામે આવતા રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એ.કે.સિંઘ સહિતના સ્ટાફે ચા-પાનની દુકાનોએ માણસોના ટોળા ભેગા ન થાય તે માટે માત્ર પાર્સલ લઈને જતા રહેવાનું જાહેરનામું બહાર પાડેલ છે. તેમ છતાં જાહેરનામાનો ભંગ કરતા ચા-પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.

શક્તિ ટી શોપ (સંત કબીર રોડની પાસે), ગાત્રાડ પાન ટી સ્ટોલ (માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ), ખેતલા આપા ટી સ્ટોલ (અમુલ સર્કલ, ૮૦ ફૂટ રોડ), રાધે હોટેલ (અટિકા ફાટક પાસે),

 

મોમાઈ હોટેલ (રૈયા ચોકડી), કિસ્મત હોટેલ (હનુમાન મઢી, રૈયા રોડ), ખોડિયાર હોટેલ (ફૂલછાબ ચોક) અને શક્તિ હોટેલ (ડિલક્ષ ચોક, કુવાડવા રોડ) દુકાનો સીલ કરવામાં આવી હતી.

એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવ્યું છે. ચા-પાનની દુકાનો સીલ થતાં વેપારી આલમમાં ફફડાટ મચી ગયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment