વેરાવળ ખાતે સંભવિત ફે્બ્રુઆરી-૨૦૨૪માં યોજાશે સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબીર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ચુનંદા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વતૈયારીના ભાગરૂપે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે સંભવિત ફેબ્રુઆરી-૨૦૨૪ના અનુકૂળ ૧૦ દિવસ દરમિયાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબીર યોજવાનું નક્કી કરેલ છે.

 આ શિબીરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ કે જેમની ઉમર તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસીક રીતે તંદુરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમુનાનું અરજી ફોર્મ તા.૩૧/૦૧/૨૦૨૪સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જિલ્લા સેવા સદન, રૂમ નં- ૩૧૩, ૩૧૪, બીજો માળ, ઈણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ-૩૬૨૨૬૫ ખાતે મોકલી આપવી.

શિબીર માટે પસંદગી કરતા પહેલા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટીમાં ઉતિર્ણ થનાર ૨૫ યુવક યુવતીઓની શિબીર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા-જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી બસ) નું ભાડુ, નિવાસ અને ભોજન આપવામાં આવશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment