હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.
જેમાં આવતીકાલે તા.૧૬/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં રામપર અને ભુંભલી, તળાજા તાલુકામાં તલ્લી અને વાલર, મહુવા તાલુકામાં વાવડી અને કાલમોદર, ગારીયાધાર તાલુકામાં માંડવી અને જાળીયા, શિહોર તાલુકામાં વાવડી (ગાજાભાઇ) અને ઝરીયા તેમજ પાલીતાણા તાલુકામાં સેંજળીયા અને નવા લોઇચડા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.