વિકસિત ભારત સંકલ્પ યાત્રા – સિડોકર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વેરાવળ તાલુકાના સિડોકર ગામે પહોંચ્યો હતો અને સિડોકર ખાતે બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષ સ્થાને ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું હતું.

Related posts

Leave a Comment