સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાફ-સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    ગીર-સોમનાથ કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૨ માં વચલાપાડા અને વોર્ડ નં.૫ના ગાયત્રીનગર વિસ્તારના રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૨માં વચલાપાડા અને વોર્ડ નં. ૫ માં ગાયત્રીનગર વિસ્તારમાં રસ્તાઓની આસપાસથી ઝબલા,પ્લાસ્ટિક, કાગળો સહિતની ગંદકીની સાફ-સફાઇ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો

Related posts

Leave a Comment