પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર ખાતે આવેલ ૧.૫ બી.એચ.કે.ના ૧૦૧૦ આવાસોના ફોર્મ વિતરણ તા.૨૩/૧૧/૨૦૨૩થી શરૂ, તા.૨૨/૧૨/૨૦૨૩ સુધી ફોર્મ ભરી પરત કરી શકશે

હિન્દ ન્યુઝ, રાજકોટ 

         પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર, ઘનશ્યામ બંગ્લોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે, રાજકોટ ખાતે આવેલ ૧.૫ BHKના ૧૦૧૦ આવાસોના ફોર્મ તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૨/૧૨/૨૦૨૩ દરમિયાન કોટક બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર્સ ખાતેથી રૂ.૧૦૦/-ની ફી ભરી મેળવી શકાશે. ફોર્મ જમાં કરાવવાની આખરી તા.૨૨/૧૨/૨૦૨૩ રહેશે. અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઇ ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાના કિસ્સામાં ફી રૂ.૫૦/- રહેશે. આવાસની કિંમત રૂ.૫,૫૦,૦૦૦/- રહેશે. સમગ્ર કુટુંબની મહત્તમ વાર્ષિક આવક મર્યાદા રૂ.૩.૦ લાખ રહેશે. આવાસ ફાળવણી કમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા કરવામાં આવશે તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન નીતિનભાઈ રામાણીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

આ આવાસ યોજનાના દરેક આવાસમાં લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજિત ૪૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડ રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, કિચન, વોશ એરિયા અને બાથરૂમ-ટોઇલેટ સાથે ૪૦ ચો.મી. એરિયાની સુવિધા આપવામાં આવશે.

Related posts

Leave a Comment