ભાઈબીજના દિવસે સીટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં કુલ ૨૧૨૦૧ બહેનોએ વિનામૂલ્યે મુસાફરી કરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. તા.૧૫-૧૧-૨૦૨૩ બુધવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવામાં આવેલ જેમાં કુલ ૨૧૨૦૧ બહેનોએ સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લીધો હતી તેમ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

ભાઈબીજના દિવસે બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ ૯૯૭૪ મહિલાઓએ અને સિટી બસ સેવામાં કુલ ૧૧૨૨૭ મહિલાઓએ વિનામુલ્યે મુસાફરીનો લાભ લીધો હતો

Related posts

Leave a Comment