“સ્વચ્છતા હી સેવા” અભિયાનઅંતર્ગત શહેરના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૦૩ ટન કચરાનો નિકાલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

      “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી ૦૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ જેવા કે, (૧) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (૨) કાલાવડ રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૧.૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ કેવા કે, (૧) ભાવનગર રોડ અને (૨) કુવાડવા રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૧.૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ.

ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર ની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરશ્રી એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.     

 

Related posts

Leave a Comment