ગીર સોમનાથ જિલ્લામાં આગામી ૨૭મી ઓક્ટોબરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        ભારત સરકાર દ્વારા તા:૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અન્વયે સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધ તા:૨૭/૧‌૦/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ, ૯૧-તલાલા, ૯૨-કોડીનાર (S.C) અને ૯૩-ઉના વિધાનસભા મતદારવિભાગોમાં મતવિસ્તારના નિયોજીત સ્થળે સંબંધિત તમામ મતદાન મથકોએ, મતદાર નોંધણી અધિકારી/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અન્વયે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૯/૧૨/૨૦૨૩ સુધીમાં કરી શકાશે. જેમા તા.૦૪ નવેમ્બર અને તા.૦૫ નવેમ્બર તેમજ તા.૦૨ ડીસેમ્બર અને તા.૦૩ ડીસેમ્બરને ખાસ ઝુંબેશની તારીખો જાહેર કરવામાં આવી છે.

 

 

Related posts

Leave a Comment