ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને અમૃત કળશ યાત્રા અંગે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે મારી માટી, મારો દેશ, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

કલેકટરએ બેઠકમાં અમૃત કળશ યાત્રાના સુચારૂ આયોજન અંગે સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કાર્યક્રમને સુચારૂ રીતે પાર પાડવા માટે થતી તમામ કામગીરીની વ્યવસ્થાઓની કલેકટરએ સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી દર્શનાબેન ભગલાણી સહિત તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફીસરો અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment