PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ 

    ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરને છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર લોન ફોર્મ ભરાયેલ લાભાર્થીઓનાં લોન મંજુરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચેની વિગતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

   આ યોજના અંતર્ગત અલગ-અલગ બેંકોમાં પેન્ડીંગ રહેલ મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ દ્વારા તમામ બેંકોનાં અધિકારીશ્રીઓને કેમ્પમાં હાજર રાખી કેમ્પના સ્થળે જ લોન અરજીઓ મંજુર કરવા માટે આયોજન કરેલ છે આ કેમ્પમાં વોર્ડ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ અંદાજીત ૧૦૦ જેટલા કર્મચારીઓને કામગીરી ફાળવી લાભાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી લાભાર્થીઓને કેમ્પના સ્થળ સુધી લાવવા લઇ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ દરેક વોર્ડ લેવલે સુનિશ્ચિત કરવામાં આવેલ છે સાથોસાથ લાભાર્થીઓ માટે ઝેરોક્ષ સહિતની વ્યસ્વ્થા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.

લોન મંજુરી કેમ્પની સાથે જે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટે નવી લોન અરજીઓ માટે કેમ્પના સ્થળ ઉપર ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવનાર છે.

ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓનુ બેકો દ્વારા ડીજીટલ ઓનબોર્ડીંગ કરી કેશબેક અંગેની સમજ પણ બેંકો દ્વારા આપવામાં આવશે. આ માટે જેઓની લોન અરજી મંજુરીની પ્રક્રિયામાં છે તેવા તમામ લાભાર્થીઓએ કેમ્પનાં સ્થળે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક ઓરીજીનલ તથા ઝેરોક્ષ તેમજ૨- પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નજીકનાં કેમ્પ સ્થળે ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment