27 સપ્ટેમ્બરના બોટાદ તાલુકા (શહેર/ગ્રામ્ય)નો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

           બોટાદ(ગ્રામ્ય) મામલતદાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર-2023ના માસનો બોટાદ (શહેરી/ગ્રામ્ય) તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.27 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10:30 કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી, બોટાદ ખાતે યોજાશે. 

 આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદાર એ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.10/09/2023 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના 10:30 કલાકથી સાંજના 6:10 કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા બોટાદ(ગ્રામ્ય) મામલતદાર દ્વારા જણાવાયું છે.

                                     

Related posts

Leave a Comment