હિન્દ ન્યુઝ, સુરત
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, આઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ (જી.આઇ.એ.-૮૨૫, રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય), શ્રી સાઈ સમર્થ રેસિડન્સી ની બાજુમાં, શારદયતાન સ્કૂલ ની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે, ઉમરા, સુરત -૩૯૫૦૦૭. http://www.disableindia.org મોબાઈલ : ૦૯૯૯૮૯૬૩૧૪૨ ખાતે દિવ્યાંગો માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર) નો ટ્રેડ ચાલે છે. જેમાં દિવ્યાંગો / વિકલાંગોને વિનામુલ્યે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in
|
પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે વિકલાંગોએ તાત્કાલિક ઉપરના સ્થળે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન તમામ જરૂરી ઓરિજનલ પ્રમાણ પત્રો (દિવ્યાંગનું સિવિલ સર્જન નું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.), ધો. 8 અથવા 9 અથવા 10 પાસ નું રીજલ્ટ, પરીક્ષા કેટલામાં પ્રયાસે પાસ કરી તેનું પ્રમાણપત્ર(10 પાસ માટે), જાતિનો દાખલો, આવકનો દાખલો (મામલતદાર/TDO), આધારકાર્ડ, બેન્ક પાસબૂક, પાસપોર્ટ સાઈજ નો ફોટો) અને તેની નકલ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તાલીમ બાદ આ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી અપાવવામાં પણ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે. તેમજ સંસ્થામાથી વિકલાંગોને વિનામુલ્યે ઓપરેશન કરીને ચાલતા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી, કેલિપર્સ, વોકર જેવી સાધન સહાય વિનામુલ્યે આપવામાં આવે છે. તેમજ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને ભારત દેશમાં શૈક્ષણિક પ્રવાસ પણ વિનામુલ્યે લઈ જવામાં આવે છે.
|
|
|
Post Views:
49