ગીર સોમનાથ ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સહાય મેળવવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેઓના આશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રૂ.1.20.000ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઈ છે.

આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય એવા અરજદારોએ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજીફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારઓએ માત્ર ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. જ્યારે સંબંધિત અધિકારી જણાવે ત્યારે અસલ કોપી રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક (અ.જા.ક) અને જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની જિલ્લા કક્ષાની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

Related posts

Leave a Comment