ગીર સોમનાથમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના પીએચસી અને એચડબલ્યૂસી તેમજ ગામમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં.

તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા અને તાલુકા એસબીસીસી ટીમના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં સ્કૂલ રેલી, શિબિર, લઘુ શિબિર તેમજ કોમ્યુનિટી સાસુ-વહુ મિટિંગ વગેરે કાર્યક્રમ વડે વિવિધ માહિતી આપવામાં આવી હતી

Related posts

Leave a Comment