રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જાણીતા અતુલ મોટર્સવાળા સમર્થ અતુલભાઈ ચાંદ્રા દ્વારા તેની કંપનીના અમદાવાદ ખાતે મેનેજર તરીકે નોકરી કરતા રાજકોટના શક્શ વિરુધ વિશ્વાસઘાત અને છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટીમાં રોયલ ઓચિંડ એપાર્ટમેન્ટ માં રહેતા અતુલ મોટર્સ પ્રા.લી. વાળા સમર્થ અતુલભાઇ ચાંદ્રાએ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૮૪.૮૪.૨૫૭ ની છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે તેમની કંપનીના અમદાવાદ ખાતેના ટ્રુ વેલ્યુના શો રૂમના મેનેજર પરેશ કરશનભાઇ રાઠોડનું નામ આપ્યું છે. આરોપી પરેશ રાઠોડે અમદાવાદ ખાતે મેનેજરની નોકરી વખતે અલગ અલગ જુની કાર કંપીનીની જાણ બહાર વેંચી નાંખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ કાર કન્ડમ થઇ ગયાનું કરી તેમજ બોગસ રિસિપ્ટ ઉભી કર્યાનું ફરીયાદમાં જણાવાયું
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.