મહીસાગર જિલ્લાના જાહેર સ્થળો અને જિલ્‍લા/તાલુકા સેવા સદન કે કોઇપણ સરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, મહીસાગર

મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ સી વી લટાએ જિલ્‍લા સેવા સદન, મહીસાગર તથા જિલ્‍લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યકિતએ/વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ચાર કે તેથી વધુ માણસો ભેગા થવા કે કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ/રેલી કાઢવા ઉપર તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૧૫/૦૭/૨૦૨૩ સુધી મનાઇ ફરમાવી છે.

આ જાહેરનામું જેઓ ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્‍યકિતઓ, ગૃહરક્ષક દળની વ્‍યકિતઓને, લગ્નના વરધોડા તથા સ્મશાનયાત્રાને, જેઓને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્‍સા તરીકે પરવાનગી આપવામાં આવી હોય અને સરકાર દ્રારા આયોજીત કાર્યક્રમો કે અભિયાન તેઓને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર ઠરશે. જયારે હુકમનો ભંગ કરનાર સામે ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર દરજજાથી ઉતરતા ન હોય તેવા અધિકારીને ફરિયાદ નોંધવવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment