રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વોર્ડનં-૩ માં રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા સોસાયટીમાં અમદાવાદ થી આવેલ પરિવારમાં કોરોના પોઝીટીવનો કેસ મલી આવતા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મનપાની આરોગ્યની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. અને વિસ્તારની શેરીઓમા સેનેટાઈઝ કરાવ્યુ હતુ. તેમજ જે પેસેન્ટમા કોરોનાના સેમ્પલ મલ્યા છે. તે પરિવારને નિયમ અનુસાર કોવિડ સેન્ટર સમરસ હોસ્ટેલ યુનિ.રોડ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને શેરીમા રહેતા ૮૦ લોકોને હોમ કોરોનટાઈન કરવામા આવ્યા છે. એટલા વિસ્તારની શેરીને સિલ કરી દેવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા એ સ્થળ ઉપર જઈ સ્થાનિક લોકોને સાથે રાખી તંત્રને કામગીરીમા મદદરૂપ બની કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદરૂપ બનવાની ખાત્રી આપી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ