મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું

મોરબી,

રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બેંક કેશીયરનું મોત નીપજ્યું છે. મોરબીના રવાપર ગામમાં આવેલા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંક કેશીયરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે તેમનું અવસાન થયું છે. ત્યારે જીલ્લામાં પ્રથમ કોરોનાનો ભોગ બનતા ફફડાટ મચ્યો છે. જો કે આ મોત કોરોનાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment