રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓએ શહીદ કોરોના યૌઘ્ધાને આપી શ્રઘ્ધાંજલી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારીને ડામવા રાત-દિવસ અને ૪૪ ડીગ્રી તાપમાનમાં ફરજ બજાવતા એવા કોરોના વોરિયર્સ અમદાવાદ શહેર ટ્રાફીકમાં ફરજ બજાવતા મુકેશભાઇ સોમાભાઇ અને ગાંધીનગર ખાતે ફરજ બજાવતા જુનીયર કલાર્ક હિરેનભાઇ વિષ્ણુભાઇ પ્રજાપતિ કોરોનાના સંક્રમણથી દુ:ખ અવસાન થયું છે. બન્ને કોરોના વોરિયર્સના મૃત્યુના માનમાં તા.૯ જુનના રોજ ૧ર કલાકે શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા અને નાયબ પોલીસ કમિશ્નર શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે એક મીનીટ મૌન પાળી કોવિડ-૧૯ વોરીયર સ્વ. મુકેશભાઇ તથા સ્વ. હીરેનભાઇ પ્રજાપતિને હદ્રયપૂર્વક શ્રઘ્ધાંજલી આપવામાં આવેલી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment