રાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસે થયેલી દર્દનાક દુર્ઘટનામાં થયેલા બને મૃતકોના પરિવારને સહાય માટે મુખ્યમંત્રીએ ૪ લાખની સહાય આપવાની જાહેરાત

રાજકોટ,

રાજકોટ શહેર તા.૯.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસે થયેલી દર્દનાક ઘટનામાં બે બાઈક ચાલકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ગઇ કાલે આજીડેમ ચોકડી પાસે પુલની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી. તે વખતે જ ત્યાંથી અલગ અલગ સ્કૂટર પર નીકળેલા બે યુવાનો દીવાલના ૧૦૦ટન કાટમાળ નીચે દબાઇ ગયા હતા. દિવાલ માથે પડતા જ બને બાઈક ચાલકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં માનસરોવરપાર્કમાં રહેતા વિક્રમ કરણભાઇ વિરડા ઉ.૨૪ અને રાધેકૃષ્ણ સોસાયટીનો ભુપત નાથાભાઇ મિયાત્રા ઉ.૨૫ નું મૃત્યુ થયું છે.

તે સ્પસ્ટ કરાયું હતું. આ દુર્ઘટનામાં થયેલા બને મૃતકોના પરિવારને સહાય માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment