હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૮ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામ ગૃહ ખાતે ૧૦ તારીખે, મહુવા તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, જેસર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬ તારીખે, ઉમરાળા તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૯ તારીખે, તળાજા તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૨ તારીખે, વલ્લભીપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૫ તારીખે અને પાલીતાણા પથીકાશ્રમ ખાતે ૨૯ તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી વધુમાં વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ આ કેમ્પનો લાભ લેવા મદદનીશ નિયામક(રોજગાર) ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.