પ.પૂ. આદરણીય દેવપ્રિયા દીદીજી રાજકોટ માં કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય મહિલા સંમેલન માટે પધારી રહ્યા છે

હિન્દ ન્યુઝ, જામનગર

          તારીખ ૨૬-૧૧-૨૦૨૨ ના રોજ હરિદ્વાર પતંજલિ યોગ સમિતિ ના રાષ્ટ્રીય પ્રભારી સન્યાસીની પ.પૂ. આદરણીય દેવપ્રિયા દીદીજી રાજકોટ માં કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિરે સવારે ૦૯:૦૦ વાગ્યે ભવ્ય મહિલા સંમેલન માટે પધારી રહ્યા છે એ અંતર્ગત જામનગર માં રાજ્ય પ્રભારી તનુજાજી મિટિંગ લેવા માટે આવેલ અને બહેનો ને યોગ નું માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમમાં ભારત સ્વાભિમાન ના અધ્યક્ષ નિલેશભાઈ આચાર્ય, ઉપાધ્યક્ષ ભરતસિંહ જાડેજા ભારત સ્વાભિમાન ના સંયોજક, પતંજલિ ના અધ્યક્ષ રમેશભાઈ ચૌહાણ એ દીપ પ્રાગટય કરી પુષ્પહાર થી સન્માન કરેલ સાથે પતંજલિ મહિલા સમિતિ ના મીનાબેન જ્યોતિષી, શીલાબેન બુટોલા, શારદાબેન ભુવા, દીપ્તિબેન પડ્યાં, અંજુબેન દુલાની, મિતાબેન ડાંગરિયા, હિમાની નંદાશના, શિલ્પાબેન ઠુમર, અલ્પાબેન મસરુ, રતનબેન નકુમ, યોગીતાબેન પરમાર, ગોપી પરમાર, જોશનાબેન વગેરે તમામ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ખાસ નોંધ :- પતંજલિ યોગ સમિતિ ગુજરાત રાજ્ય કાર્યકારીની પ્રીતિબેન શુકલ જે કોઈ બહેનો રાજકોટ ૨૬ મી તરીખે આવવા માંગતા હોય એ લોકો એ પ્રીતિબેન શુકલ અને રમેશભાઈ ચૌહાણ નો સંપર્ક કરવો 9429798217, 9426736087

Related posts

Leave a Comment