ગીર સોમનાથઃ ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ રજીસ્ટર કરાવવાના રહેશે પ્રચારના વાહનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યંક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છેઆવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાનો અવકાશ અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ રહે છે. જેથી ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટગીર સોમનાથ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે હુકમ કરેલ છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો વિધાનસભાના ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અથવા તે અર્થે સક્ષમ સત્તા પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે.

રજીસ્ટર કરાયેલ વાહનની પરમિટ તેમના પાસેથી મેળવીઅસલ પરમિટ જ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર/ ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે અને  આ હુકમનો અમલ ગીર સોમનાથના સમગ્ર વિસ્તા‍રમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

Related posts

Leave a Comment