મોરબીના ડીડીઓ ખટાણા ની નિવૃત્તિ, નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવ ની નિમણુંક 

મોરબી,

મોરબી જિલ્લાના ડી.ડી.ઓ એસ એમ ખટાણા 31મી મે ના રોજ વય મર્યાદાને લીધે નિવૃત થતા તેમને જીલ્લા પંચાયત ના અધિકારીઓને , પદાધિકારીઓ દ્વારા સૌ સાથે મળી વિદાય આપવામાં આવ્યું  અને તેમની જગ્યાએ મોરબીના ડીડીઓ તરીકે હાલમાં પરાગભાઈ ભગદેવ ને મૂકવામાં આવ્યા.

છેલ્લા ત્રણ વર્ષથી મોરબી જિલ્લા માં ડીડીઓ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ખટાણા એ ૩૧મી તારીખે ફરજ પરથી નિવૃત થયા. વધુમાં દરેક કર્મચારી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સારી રીતે કામગીરી કરી હોવાથી એમનો કાર્ય કરવાની પ્રવૃત્તિ મોરબી ના લોકો માટે યાદગાર બની રહેશે એમ જણાવ્યુ. મોરબીના ડીડીઓ નિવૃત થતાની સાથે ગતરોજ મોડી સાંજના સમયે સરકાર દ્વારા છ અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા હતા,  જેમાં મોરબી ખાતે ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવને મુકવામાં આવ્યા છે.

રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી

Related posts

Leave a Comment