મતદાનના દિવસે મતદાન મથકની ર૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ નિયત કરવામાં આવેલ મતદાન મથકો ઉપર યોજાનાર હોય જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતીપૂર્ણ થાય અને તેમા કોઈ અનુરોધ પેદા થાય નહીં તે માટે તેમજ આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ જુદા જુદા પક્ષના લોકો-ટેકેદારો-કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહશાંતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ર૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા નહીં થવા માટે તેમજ ચૂંટણીના કામે ઉપયોગમાં લેવાનાર ઉપરોક્ત નિયત સ્થળોએ આવેલા મતદાન કેન્દ્રોના મકાનોમાં બિનઅધિકૃત વ્યક્તિઓ દાખલ થાય નહીં તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ મુજબ પગલા લેવા સારુ મને પુરતુ કારણ જણાય છે. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ સવારના ૭:૦૦ કલાકથી તા.૦૨/૧ર/૨૦૨૨ના ર૪:૦૦ કલાક સુધી ચૂંટણી અંગેની કામગીરી માટેના નિયત કેરલા મતદાન મથકોએ મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પુર્ણ થાય તે સમય સુધી નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ર૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં, તેમજ ઉપરોક્ત સ્થળોએ ચૂંટણી કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાનો તથા તેના કમ્પાઉન્ડની ર૦૦ મીટરના વિસ્તારની અંદર બિનઅધિકૃત વ્યક્તિ-વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં. વધુમાં આદેશ કરેલ છે કે, ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચૂંટણી ફરજ માટેના સરકારી અધિકારી અને કર્મચારીઓને. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી-કર્મચારી તથા હોમગાર્ડને. સબંધિત ચૂંટણીના ઉમેદવારો/ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટને તથા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણીપંચ દ્વારા અધિકૃત કરવામાં આવે તે. સ્થળે હાજર ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવે તે. અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી પરત આવવા સુધીના સમય સુધીનાને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો અમલ તા.૦૨/૧ર/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment