મોરબીની દુર્ઘટનામા જીવ ગુમાવનારા નાગરિકોને બોટાદ  જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યુઝ, બોટાદ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહ તેમજ નિવાસી અધિક જિલ્લા કલેક્ટર મુકેશ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લા મહેસુલી-વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભા યોજીને દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી.

આ સાથે જ બોટાદ જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિત જિલ્લા-તાલુકાના તમામ સરકારી વિભાગો ધ્વારા પણ પોત-પોતાના કાર્યાલયમાં મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ  મળે તે માટે પ્રાર્થના કરવામા આવી હતી.

 

Related posts

Leave a Comment