ગીર સોમનાથના પીએમકિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને “આધાર e-KYC” અને બેંક ખાતા “આધારસિડિંગ” કરવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધારe-KYC” કરવાનું થાય છે. જે લાભાર્થીઓ આગામી હપ્તા પહેલા e-KYC નહી કરાવે તેમને આગળની સહાયનો હપ્તો જમા થશે નહી. જે અંગે લાભાર્થી જાતે “આધારe-KYC” કરી શકશે. જે માટે પી.એમ.કિસાન પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધારe-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી પણ e-KYC કરાવી શકશે. જેનો ચાર્જ રૂ.૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે.

વધુમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારનીસુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે “આધારe-KYC” અને બેંક ખાતા સાથે “આધાર સિડિંગ” કરાવવું ફરજીયાત છે. જેથી ખેડૂતોએ “આધારe-KYC” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ગીર સોમનાથની યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment