બોટાદના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે આજે “વિશ્વાસથી વિકાસયાત્રા” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૧ મી ઓક્ટોબર, ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બોટાદના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત જિલ્લાકક્ષાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર તરફથી આગામી તા.૨૧ મી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે બોટાદ વાસીઓને “વિશ્વાસથી વિકાસયાત્રા” અન્વયે રૂ.૮.૯૯૫ કરોડની રકમનાં જનહિતલક્ષી પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ મળશે જેમાં ૯ ખાતમુહૂર્ત અને ૧ લોકાર્પણ સહિત કુલ-૧૦ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૦૦૦૦

Related posts

Leave a Comment