શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં આદ્યસ્થાપક અ.નિ.પ.પૂ. શ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં આદ્યસ્થાપક અ.નિ.પ.પૂ. શ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ, સરદાર નગર ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે વિવિધ સ્પર્ધાઓ જેવી કે, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ક્વિઝ સ્પર્ધા, વેશભૂષા, તત્કાળ ચિત્ર, અષ્ટક ગાન, શિક્ષાપત્રી શ્લોકગાન, તેમજ સમૂહ ગીત જેવી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જેઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યાં હતાં તેવાં વિદ્યાર્થીઓને ૬ કિલો શુદ્ધ ચાંદીમાંથી બનાવેલ મેડલ ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જીલોવા, એ.એસ.પી. સફિન હસન તેમજ ગુરુકુળ સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી કે.પી. સ્વામીનાં પાવન કરકમળો દ્વારા એનાયત કરવામાં આવ્યાં હતાં.

વિદ્યાર્થીઓમાં વિવિધ સ્પર્શઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ પોતાના જીવનનાં ચોક્કસ લક્ષ્યને પ્રાપ્ત કરવા કઠિન મહેનત અને પરિશ્રમ થકી ઉમદા કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment