જસદણમા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

         જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા જસદણ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. આ શોભાયાત્રા જસદણના ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરવામા આવેલ રથયાત્રામાં ઘોડા, વિવિધ ફ્લોટ તેમજ ડીજેના તાલે જય રડછોડ માખણચોર ના મારા સાથે જસદણ કૃષ્ણ મય બની ગયુ હતુ જસદણની ધર્મપ્રેમી જનતા ખુબજ મોટી સંખ્યામા રથયાત્રામાં જોડાયા હતા જે જસદણ ના મુખ્ય રાજમાર્ગો પર થઇને વજસુરપરામા રથયાત્રાનું સમાપન કરેલ આ યાત્રાનું પ્રસ્થાન જસદણ સ્ટેટ સત્યજીતકુમાર ખાચરના હસ્તે કરવામાં આવ્યું હતુ તેમજ રથયાત્રામાં જસદણ વિસ્તારના ધારસભ્ય કુવજીભાઈ બાવળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોંઘરા, જસદણ વિધાનસભાના ઇન્ચાર્જ પંકજભાઇ ચાંવ, દીપકભાઈ વાઘેલા સહિત અનેક આગેવાન ઉપસ્થીત રહેલ તેમજ રથયાત્રાને સફળ બનાવવા જન્માષ્ટમી ઉસ્તવ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment