ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર

સ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત ઘોઘાના ભાલ વિસ્તારના ભૂંભલી ગામમાં કુમાર અને કન્યાશાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ હતી. ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિરમાં ડો. અરવિંદભાઈ ત્રિવેદીએ ડોક્ટર તરીકે તેમજ રેખાબહેન ભટ્ટે બાળકોનાં લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને અંકિતાબહેન ભટ્ટે કૅરેટોમીટરથી આંખની તપાસ કર્યા બાદ ચશ્માનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન ઘોઘા તાલુકાના ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસના લક્ષાંકને સાર્થક કરવાં શિશુવિહાર ટીમના ચીફ કો-ઓર્ડિનેટર હીનાબહેન ભટ્ટ તથા એગ્રોસેલના સી.એસ.આર. સંયોજક વિશાલભાઈ શર્માએ સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્યની કાળજી લઈ રહ્યાં છે.

Related posts

Leave a Comment