હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ના કુંભાર પરા વિસ્તારમા કુંભારના સ્ટેચ્યુનૂ લોકાર્પણ પુર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ આ સાથે જોગાસર પાણીની ટાંકી પાસે નર્મદા મયા પ્રતિકૃતિ નું રીનોવેશન પણ આઈ કે જાડેજા દ્રારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા ના તમામ હોદેદારો, વોર્ડ ના સુધરાઈ સભ્યઓ, શહેર સંગઠન ના તમામ હોદેદારો, વિવિધ મોરચા ના હોદેદારો, તમામ સુધરાઈ સભ્યો કાર્યકર્તા ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે સદસ્ય અભિયાન નું આયોજન કર્યું હતું અને ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેનિટેશનની ઓફિસ પણ શરૂ કરવામાં આવી હતી
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા