ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા તા.૨૭ થી ૩૦ જુલાઇ દરમ્યાન વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

  તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત તા.૨૭ થી ૩૦ જુલાઇ દરમ્યાન વિવિધ તાલુકાઓમાં વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે.

જેમાં તા.૨૭ નાં રોજ મહુવા ખાતે, તા.૨૯ નાં રોજ તળાજા ખાતે તેમજ તા.૩૦ નાં રોજ પાલીતાણા ખાતે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સરકારી વિશ્રામગૃહ ખાતે વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment