તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ધોરણ-૧ માં પ્રવેશ મેળવતાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ સાથે આંગણવાડીમાં પ્રવેશ મેળવી રહેલાં નાનકડાં ભૂલકાઓને પણ રમકડા સાથેની કીટ આપીને આંગણવાડીમાં પા પા પગલી ભરાવવામાં આવી હતી.

આ પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણમાં શિક્ષણનું જીવનમાં મહત્વ અને શિક્ષણથી થતાં ફાયદા વિશેનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

કેળવણી અને અક્ષરજ્ઞાન વગરનું જીવન પશુવત છે.જે જીવંત છે ,જે વિચારવંત છે તે જ જીવનમાં આગળ વધી શકે છે તેવી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

ભેગાળી ગ્રામ પંચાયતના સરપંચ મધુબેન અને ઉપસરપંચશ્રી તથા આચાર્ય દેવશંકરભાઈએ ધોરણ-૧ માં પ્રવેશ કરી રહેલાં બાળકોને ઉલ્લાસભર્યા વાતાવરણમાં શાળામાં નામાંકન કરાવ્યું હતું.

આ અવસરે તળાજાના સી.ડી.પી.ઓ. ઉષ્માબેન મહેતા, દેવલીના સી.આર.સી. અશોકભાઇ બારૈયા, તાલુકા પંચાયત સદસ્ય રાણાભાઇ સોલંકી, તલાટી મંત્રી નૈનાબેન પરમાર, શાળા સંચાલક મંડળ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment