દિયોદર બાણ માતાજી ના મંદિરે 15 મો પાટોત્સવ તેમજ પ.પૂ.108 જગજીવનદાસ બાપુ નો જીવન ભંડારો થતા રજતતુલા વીધી યોજાશે

હિન્દ ન્યુઝ,

દિયોદર બાણ માતાજીના મંદિરે શ્રી બાણ દેવલ નો 15 મો પાટોત્સવ યોજાશે તેમજ પ.પૂ. 108 જગજીવન દાસ બાપુ નો જીવન ભંડારો તેમજ રજતતુલા વિધિ યોજાશે. જેમાં 21 કુંડી મહાયજ્ઞ પણ યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા. 15-5-2022 ને વૈશાખ સુદ ચૌદશ ને રવિવાર ના દિવસે શોભાયાત્રા , ધર્મ ધજા, ચાંદી તુલા તેમજ ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બીજા દિવસે તા. 16- 5- 2022 ને વૈશાખ સુદ પૂનમ ના દિવસે યજ્ઞ આરંભ દાતાઓનું સન્માન સમારો અને યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે.

જેમાં આ 15 મા પાટોત્સવ અને પ.પૂ. 108 જગજીવન દાસ બાપુ જીવત ભંડારો થતા રજતતુલા વિધિ માં માતાજીના ભક્તો, સંતો મહંતો સમાજના આગેવાન રાજકીય આગેવાન અને નાત વિહોતર ચૌદ પરગણા પરિવાર ઉપસ્થિત રહેશે. જેનાં ભાગ રૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment