‘માનવ સેવા ગ્રુપ રાધનપુર’ તરફ થી કરવામાં આવી સરાહનીય સેવાકીય પ્રવૃતિ

હિન્દ ન્યુઝ, રાધનપુર

     માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્રારા આજે એક ભિક્ષુક ને નવડાવી કપડાં પહેરાવી ઉમતા આશ્રમ મૂકવામાં આવ્યો હતો જે અસ્થિર મગજ હોઈ ખબર પડતાં માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્વારા ગાડી મારફતે લઇ જઇ આશ્રમ મા વ્યવસ્થા કરવામાં આવી.

         આ સેવા ના મહા ભગીરથ કાર્યમાં માનવ સેવા ગ્રુપ રાધનપુર ના સક્રિય સભ્ય એવા સિકંદર ખાન મલેક, લાખાભાઈ દેસાઈ, સાધુ હરેશભાઈ, અરજણભાઈ દ્વારા એક ભિક્ષુક ને ડાલડી સાંતલપુર થી ‘અપના ઘર આશ્રમ ઉમતા’ મૂકવામાં આવ્યા હતા.

   આમ “માનવ સેવા એજ પ્રભુ સેવા” ના વાક્ય ને અહી માનવ સેવા ગ્રુપ દ્વારા સાર્થક કરવામાં આવ્યું. આ ગ્રુપ દ્વારા અવર નવાર સેવાકીય પ્રવૃત્તિઓ થતી આવી છે જેમાં અબોલ પંખીઓ, પશુઓ તેમજ ભિક્ષુક હોઈ કોઈ ગરીબ પરિવાર હોઈ હંમેશા આ ગ્રુપ દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ કાર્યરત રહે છે. જે માનવ સેવા ગ્રુપ રાધનપુર આજે સેવાકીય પ્રવૃત્તિઓ માં અડીખમ ઉભું રહી આવી ઉમદા સેવાકીય કામગીરી રહ્યું છે

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર 

Related posts

Leave a Comment