ચોટીલામાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ચોટીલા

ચોટીલામાં આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અને ૭૫માં આઝાદી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચોટીલાના પ્રેસ ક્લબ તેમજ જોલી એન્જોઇ સહયોગથી સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોટીલા જલારામ મંદિરથી ભીમગઢ સુધીનું આ સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધુ લોકોએ આ સાઇક્લોથોનમાં ભાગ લીધો હતો. ચોટીલામાં સૌપ્રથમવાર આ સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચોટીલાના પત્રકાર જિજ્ઞેશ શાહ તેમજ નયનાબેન રાણા જાણીતા ઍથ્લીટ ઇન્ટરનેશનલ જુડો કરાટે ના આયોજન હેઠળ આ સાઈક્લોથોનનું આયોજન ચોટીલામાં પ્રથમવાર કરવામાં આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સારાં રહે તેવા હેતુથી અને ગ્રીન ચોટીલા ગો ચોટીલા ના સ્લોગન સાથે આ આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ચોટીલાના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં તેમજ ચોટીલાના પત્રકારો મિત્રો પણ હાજર રહ્યાં હતાં અને પ્રોત્સાહન હેતુથી બાળકોને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment