વડાલી ના જેતપુર સમાજ વાડી ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ નો સ્નેહમિલન અને ભૂમિ પ્રવેશ કાર્યકમ યોજાયો

હિન્દ ન્યુઝ, વડાલી 

વડાલી ઇડર હાઇવે રોડ પાસે આવેલ જેતપુર પાસે કચ્છી પાટીદાર સમાજ વડાલી વિભાગ દ્વારા નવીન સમાજ વાડી નિર્માણ માટે જમીન ખરીદાઈ હતી. ત્યાં આજ રોજ ભૂદેવો ની હાજરી માં ભૂમિ પ્રવેશ નિમિતે યજ્ઞ યોજાયો હતો ત્યારે સાથે સાથે આજ રોજ 35 મુ સ્નેહ મિલન અને સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક હિસાબો ને બહાલી અપાઈ હતી સમાજ ના પ્રમુખ ભોગી ભાઈ પટેલ તથા જોન પ્રમુખ રસિક ભાઈ તથા એ.બી.વી.પી.ના પ્રમુખ સી.એન.પટેલ તથા સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે વડાલી ઇડર ખેડબ્રહ્મા વિજયનગર અને તારંગા વિભાગ ના કચ્છી ભાઈઓ બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને આવનાર સમય માં સમૂહલગ્ન અને કન્યા કેળવણી વિષયો પર ઉપસ્થિત આગેવાનો એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સનાતન સમાજ ના તમામ પરિવારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજ વરિષ્ટ વ્યક્તિઓ નું સન્માન કરાયું હતું. આજ ના કાર્યક્રમ પછી આભાર વિધિ પાંચ તાલુકા અને તારંગા વિભાગ વતી સમાજ ના પ્રમુખ ભોગીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી અને પ્રમુખ એ ભગવાન લક્ષ્મીનારાયણ નુ મંદિર બનાવવાનુ પણ જણાવ્યું હતું.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment