ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં કોટડા, જત વિસ્તાર અકવાડા, વાવડી, કાના તળાવ, ઇન્દિરાનગર, ખેતાખાટલી, કૃષ્ણપરા તથા નવા કોટડા ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૧૩/૦૧/૨૦૨૨ સુધીમાં અરજીઓ મંગાવવામા આવે છે. વિધવા, નિરાધાર તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment