કડાણા તાલુકાના કાંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, મહિસાગર

આજ રોજ તારીખ ૦૬/૦૧/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના સન્માનીય પ્રમુખ જગદીભાઈ ઠાકોર ના આદેશ અનુસાર કોવિડ -૧૯ માં લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના કાયદા અનુસાર 4 લાખ (ચાર લાખ) ની સહાય ચૂકવવા ની માંગ કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી એ લડત લડતા સુપ્રીમ કોર્ટ આદેશ બાદ ૫૦,૦૦૦ (પચાસ હજાર) ચૂકવવા ની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટી એ મૃતકો લાભ મળે તેવા અનુસંધાન માં કડાણા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આજ રોજ પ્રભારી ડૉ. ગરાસિયા, જિલ્લા પ્રમુખ હરજીવનભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રભાઈ સંગાડા, પૂર્વ ધારાસભ્ય જી.એમ. ડામોર, સોશીયલ મીડીયા ઇન્ચાર્જ અશ્વિન પટેલ, સેવાદળ ના પ્રદેશ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ખાંટ, એસ.ટી. સેલ પ્રમુખ વિજયભાઈ ખાંટ, મહામંત્રી મનોજભાઈ ડામોર, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ગીરીશભાઈ પાદરીયા તેમજ આગેવાનો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

રિપોર્ટર : કાન્તિ ખાંટ, મહિસાગર

Related posts

Leave a Comment