હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ઉના ખાતે ટીબીના ઈલાજ માટે જનજાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમારે ટીબીના રોગના ઈલાજ વિશે ખાનગી તબીબીને માર્ગદર્શન-જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઉના તાલુકાના અગ્રગણ્ય ખાનગી તબીબી સહભાગી થયા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગના તૌસિફ શેખ, નિલેશ ઝાલા સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.