વંદે ગુજરાત ચેનલ-૧ પર કિશોરીઓ માટે સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ રજુ કરવામા આવે છે. તા.૨૧-૧૨-૨૦૨૧ના રોજ બપોરે
૨:૦૦ થી ૨:૩૦ કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પુર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે. જેમાં સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શન રજુ થનાર હોય તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામા આવ્યો છે. આ
કાર્યક્રમ પુર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામા આવેલ છે. જેમા ભાગ લઈ પ્રશ્નોના જવાબ કિશોરીઓ આપે તે જરૂરી છે. આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ટી.વી.મા વંદે ગુજરાત ચેનલ-૧, મોબાઈલ જીઓ એપ મારફત વંદે ગુજરાત ચેનલ-૧ તેમજ WCD
gujarat ફેસબુક પેજ પર નિહાળી શકાશે. કોઈ કારણોસર જીવંત પ્રસારણ નિહાળી ન શક્યા હોય તેઓ યુ-ટ્યુબ ચેનલ WCD gujarat પર અન્ય કોઈપણ સમયે નિહાળી શકાશે તેમ પ્રોગ્રામ ઓફીસર, આઈ.સી.ડી.એસ.શાખા, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Related posts

Leave a Comment